આ એક એવી વનસ્પતિ છે કે જે સ્વચ્છતા માટે ઉપયોગમાં લેવાય છે એટલે કે એના કરસાટા બનાવવામાં આવે છે.
ગામડે રહેતા લોકોને તો ખબર હશે પણ શહેરી વિસ્તારમાં લોકો આ વનસ્પતિથી અજાણ હશે.
આ વનસ્પતિ ચોમાસામાં આપમેળે ઘર આંગણામાં ઊગી નીકળે છે ત્યારબાદ ચોમાસું પૂરું થવા આવે એટલે પરિપક્વ થઈ જાય છે.
ત્યારબાદ એને કાપી લેવામાં આવે છે અને તડકામાં સૂકવીને એના કરસાટા બનાવાય છે.
આ કરસાટાનો ઉપયોગ ઘર આંગણુ વાળવા અને કોઢ વાળવા માટે ઉપયોગ થાય છે.
તુવરના કરસાટાની સરખામણીમાં આ વધુ મજબૂત હોવાથી વધુ પ્રમાણમાં આ વનસ્પતિના કરસાટા વપરાય છે.
તો આવીજ અવનવી માહિતી મેળવવા અમારી બીજી પોસ્ટ પણ વાંચો.
#villagelife #gujaratiblog #adivasilyfestyle #gujjublog #adivasiplife
#villagelife #gujaratiblog #adivasilyfestyle #gujjublog #adivasiplife
